પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 2-4-2010, ગાંધીનગર
એક હરિભક્તે ફોનમાં સ્વામીશ્રીને કહ્યું કે દીકરો સારું ભણે છે, પણ ડિપ્રેશન આવી જતાં તેને એમ થાય છે કે હું બરાબર નહીં ભણી શકું.
સ્વામીશ્રીએ એ કિશોરની સાથે ફોનમાં વાતચીત કરતાં કહ્યું : ‘નહીં ભણી શકું, એવું મનમાં માનીશ જ નહીં. સફળતા મળવાની જ છે. ભગવાનને પ્રાર્થના કરવાની. સ્વામિનારાયણ... સ્વામિનારાયણ... ભજન કરવું.’
એ કિશોર કહે : ‘હું સ્વામિનારાયણ... સ્વામિનારાયણ... બોલું છું પણ મન ફર્યા કરે છે.’
સ્વામીશ્રી કહે : ‘આપણે પ્રયત્ન કરવાનો, હિંમત હારવી નહીં. આટલું સરસ ભણ્યો છું, પણ તને ભ્રમણા થઈ ગઈ છે. એટલે શ્રદ્ધા રાખીને ભજન કરજે.’
લાંબા સમયથી ઘર કરી ગયેલી એ કિશોરની મનોવ્યથાને સ્વામીશ્રીએ થોડી જ ક્ષણોમાં ઉકેલી આપી અને તે કિશોરનું સઘળું ભારણ ટળી ગયું. પ્રત્યક્ષ બ્રહ્મના સાંનિધ્યનો આ જાદુ છે.
Vachanamrut Gems
Gadhadã II-14.5:
Without the Conviction of God
“However, those who follow the path of nivrutti but do not have the conviction of God should be known to be sagun due to their mãyik gunas. Furthermore, one should realise, ‘This person appears to be a staunch renunciant, but because he does not have the conviction of God, he is ignorant and will definitely go to narak.’ ”
[Gadhadã II-14.5]