પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											સ્વામીશ્રીની સ્મૃતિ 
									
                                    
                                        
	તા. ૦૯-૦૮-૨૦૦૫, વિ. સં. ૨૦૬૧, શ્રાવણ સુદ ૪, મંગળવાર, બોચાસણ
	રિટાયર્ડ મામલતદાર બેચરસિંહ પઢિયાર લાઇનમાં દર્શને આવ્યા હતા. ગુણનિધિ સ્વામીએ તેઓનો પરિચય આપતાં કહ્યું : 'આ પઢિયાર સાહેબ સોજિત્રા હતા.'
	'પછી ?'
	'બહુ સારા સત્સંગી છે.'
	'પછી ?'
	'મામલતદાર હતા ને રિટાયર્ડ થયા છે.'
	'પછી ?' સ્વામીશ્રીએ પછી... પછી પૂછીને ગુણનિધિ સ્વામીને બોલવા દીધા. તેઓએ શક્ય એટલો પરિચય આપ્યો. પછી છેલ્લે સ્વામીશ્રીએ હસતાં હસતાં કહ્યું: 'પાદરામાં મંદિર એમણે કર્યું છે. પાદરામાં જે મંદિર થયું એમાં સેવા લાવવામાં એમનો દાખડો ખૂબ છે.' સ્વામીશ્રીની આ સ્મૃતિ જોઈને ગુણનિધિ સ્વામી સમજી ગયા કે પછી...પછી... પૂછવાનું રહસ્ય શું હતું ?
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Kãriyãni-11:
                                             
                                            God's Constant Proximity
                                        
                                        
                                            
	Thereupon Shriji Mahãrãj replied, "If a devotee has deep affection for God and treats the worldly panchvishays that are not related to God as vain, and if he is firmly attached to God via the panchvishays, then wherever such a devotee goes by God's command, the form of God also goes with him…"
	 
	[Kãriyãni-11]