પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											વાચનમાં તલ્લીન...
									
                                    
                                        
	(તા. ૦૫-૦૨-૨૦૦૮, મુંબઈ)
	સ્વામીશ્રીને પગની પિંડીમાં અને ગરદનમાં દુખાવો થતો હોવાથી તેઓને ફિઝિયોથેરાપીની સારવાર આપવામાં આવી રહી હતી. ફિઝિયોથેરાપી દરમ્યાન સમયનો સદુપયોગ કરતાં સ્વામીશ્રીએ 'લિ. શાસ્ત્રી યજ્ઞપુરુષદાસ' પુસ્તક વાંચવાનું શરૂ કર્યું. એકાદ દિવસ નહીં, અઠવાડિયાંઓ સુધી આ ક્રમ ચાલુ રહ્યો. લગભગ દોઢેક કલાકમાં પચાસ જેટલાં પાનાં એકાગ્રતાથી સ્વામીશ્રી વાંચતા રહે. એક વખત જે આસન ઉપર વિરાજ્યા એ આસન ઉપર વાચવાનું શરૂ કર્યા પછી કોઈ પણ પ્રકારની પોઝિશન બદલ્યા વગર સ્વામીશ્રી એકાગ્રતાથી પુસ્તકનું વાંચન કરવામાં એટલા તલ્લીન થઈ જાય કે થેરાપી પૂરી થયા પછી પણ તેઓની નજર પુસ્તકમાંથી હટવાનું નામ ન લે ! જો સેવકો એમ ન કહે કે 'હવે પૂરું થયું' તો વાંચવાનું પણ ચાલુ રહે ! જ્યાં સુધી એ પ્રસંગ અથવા તો પ્રકરણ પૂરું ન થાય ત્યાં સુધી તેઓ વાંચતા રહે ! ક્યારેક તો સ્વામીશ્રીની એ તલ્લીનતા જોઈને સૌને એવો અનુભવ થતો કે સ્વામીશ્રી એવી રીતે પુસ્તકનું વાચન કરી રહ્યા હતા, જાણે સામે ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજ પ્રત્યક્ષ બિરાજમાન ન હોય !
	સ્વામીશ્રીની આ વાચનભક્તિ સૌના હૃદયમાં એક અમીટ છાપ મૂકતી ગઈ.
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Gadhadã I-56:
                                             
                                            Significance of Upasana
                                        
                                        
                                            
	"Contemplating on God's greatness in this manner is the only method for understanding the distinction between ãtmã and non-ãtmã. In addition, the extent of that devotee's faith in God, coupled with the knowledge of God's greatness, also determines the amount of vairãgya that develops in that devotee's heart. Therefore, forsaking one's dependence on the strength of other spiritual endeavours, one should rely exclusively on the strength of God's upãsanã."
	 
	[Gadhadã I-56]