પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											એક ગામમાં...
									
                                    
                                        
	એક ગામમાં ભાઈઓ ભાઈઓ વચ્ચે વેર વધી ગયું હતું. એક ભાઈએ પોતાના સગાવહાલાઓને પરદેશ મોકલ્યા હતા, પરંતુ આંટી એવી પડી કે પરદેશ જનારાઓને એમ અનુભવાયું કે 'એ જ ભાઈએ ત્યાંની પોલીસને રોકીને અમને સૌને પાછા દેશમાં ધકેલ્યા છે અને આવી સમજ અથવા તો ગેરસમજને કારણે જન્મોજન્મનું વેર હોય એવી પરિસ્થિતિ આવીને ઊભી રહી હતી. ગામમાં પાછા આવી ગયેલા ભાઈઓ એમ કહી રહ્યા હતા કે પરદેશથી જો પેલો આવશે તો એના ટાંટિયા તોડી નાખીશું અને એને ગામમાં પણ નહીં પેસવા દઈએ, કારણ કે એ માણસે અમારી જિંદગી બગાડી છે.' સ્વામીશ્રીને આ બાબતનો ખ્યાલ આવતાં વિરોધ કરી રહેલા ભાઈઓને આજે ખાસ બોલાવ્યા હતા. તેઓનો આક્રોશ ખરેખરો હતો. સ્વામીશ્રી આગળ પણ તેઓ એ જ ભાષામાં બોલતા હતા. સ્વામીશ્રીએ તેઓને શાંતિથી સાંભળ્યા. એક ભાઈ તો એટલા વેર વૃત્તિવાળા હતા કે સ્વામીશ્રી આગળ પણ કહે, 'જો પેલો ગામમાં આવશે તો એને અમે મારી જ નાખીશું. એટલે એ આવે તો તમે કહી દેજો ગામમાં પેસે જ નહીં.'
	સ્વામીશ્રીએ એને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે 'કોઈને મારી નાખવાથી વેર ઓછુ વળવાનું છે? તમારું તો થયું, વળી એનું પણ થાય અને પરંપરા સુધી વેર પેસી જાય. એના કરતાં શાંતિ રાખીને કામ લો અને વાત સાચી હોય તો એ એમને સમજાવવો. મારી નાખવાથી કશું થતું નથી. જો કે સામેવાળાનો આવેગ એટલો બધો હતો કે સ્વામીશ્રીનું માનવા પણ તૈયાર ન હતા, છતાં શ્રદ્ધાપૂર્વક સ્વામીશ્રીએ સૌને સમજાવ્યા. સ્વામીશ્રીની વાત ભલે નિષ્ફળ ગઈ હોય, પરંતુ સ્વામીશ્રીએ એક ગામમાં એક પરિવાર વચ્ચેનું વેર ટાળવા માટે પોણો કલાક પોતાનો સમય આપ્યો, એ કરુણા નાની સૂની ન હતી.
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Gadhadã I-27:
                                             
                                            Key to Progress in Satsang
                                        
                                        
                                            
	"Conversely, when a person is likely to progress in Satsang, pure desires steadily flourish within him. Day by day, he sees only virtues in all of the satsangis. He views all devotees as superior to himself and considers himself to be insignificant. Moreover, he experiences the bliss of Satsang in his heart 24 hours a day. Such characteristics indicate that pure desires have flourished. In fact, the more such a person practises satsang, the more he benefits; and eventually, he attains profound greatness."
	 
	[Gadhadã I-28]