પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 27-3-2017, લેનેશિયા
સ્વામીશ્રી મેફેર મંદિરેથી ગાડીમાં વિરાજી લેનેશિયા મંદિરે જઈ રહ્યા હતા ત્યારે વાહનચાલક યુવકે પોતાના મનની મૂંઝવણ રજૂ કરી : “થોડાં વર્ષો પહેલાં મેં આપને સ્વભાવ ટાળવાનો ઉપાય પૂછ્યો હતો. આપે મને કહ્યું હતું કે ‘કેરી વૃક્ષ પર હોય તેને જમવામાં મજા છે. પણ પડી જાય ને સડી જાય તેને ખાવામાં મજા નથી. અર્થાત્ ભગવાનનું સુખ વૃક્ષ પરની મીઠી કેરી જેવું છે. અને જગતનું સુખ પડી ગયેલી સડેલી કેરી જેવું છે. આ વિચાર રાખવાનો હું પ્રયત્ન કરું છું. છતાં સ્વભાવ ટાળવામાં તકલીફ પડે છે તો બીજું શું કરવું ?”
સ્વામીશ્રી કહે : ‘મહારાજે કહ્યું - શત્રુપણું, સ્વભાવ સાથે શત્રુપણું રાખવું. જો સ્વભાવને શત્રુ માનીએ...’
યુવકે વચ્ચે જ વાત ઉપાડતાં કહ્યું : ‘પણ અઘરું છે બાપા ! ઘણું અઘરું.’
સ્વામીશ્રી હસતાં કહે : ‘બધા માટે અઘરું છે, બધા જાણે છે, પણ શત્રુપણું રહેતું નથી. પરંતુ એ જ વિચાર છે. મહારાજ કહે છે : ‘શત્રુપણું રાખીએ તો (સ્વામીશ્રીએ ત્રણ ચપટી વગાડી) સ્વભાવ ભાગી જ જાય.’
સ્વભાવ ટાળવાની માસ્ટર-કી સ્વામીશ્રીએ બતાવી દીધી.
Vachanamrut Gems
Gadhadã II-8:
Introspection
"… Therefore, physical God-related activities, such as having the darshan of God, performing His puja or engaging in discourses, devotional songs, etc., of God, are all, in fact, forms of 'antardrashti'…"
[Gadhadã II-8]