પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
									
                                    
                                        
	તા. 4-4-2010, ગાંધીનગર
	બપોરે 4:00 વાગ્યાથી ઈ.સી.એ.-2ના બિઝનેસ મૅનેજર જુલિયન સ્વામીશ્રીનાં દર્શનની રાહ જોઈને બેઠા હતા. આમ તો ગઈકાલે સ્વામીશ્રીનાં દર્શન તેઓને થઈ ચૂક્યાં હતાં, પરંતુ આજે જતાં પહેલાં તેઓને પ્રેરણા થઈ અને દર્શન કર્યાં વગર ન જવાની ઇચ્છા વ્યક્ત કરી. વળી, ઈવ પીપાના હાથે બંધાયેલી નાડાછડી જોઈને એમને પણ નાડાછડી બંધાવાનું મન થયું હતું. સ્વામીશ્રીને તેઓ કહે : ‘હું આપનો આભાર માનવા આવ્યો છું. આજે જઉં છું. હું અહીં બે દિવસ જ હતો, પણ આજે હૃદયમાં શાંતિ લઈને પાછો જઉં છું. આખી દુનિયામાં ફરું છું, મોટાં મોટાં કામ કરું છું, પણ આવો દિવ્ય આનંદ ક્યાંય નથી આવ્યો. તમારી સ્મૃતિ રોજ કરીશ અને સંસ્થા સાથે જે કામ કર્યું છે એ યાદ કરીશ. મારી ઇચ્છા છે કે હું સિગારેટ મૂકી દઈશ અને પ્રાર્થના છે કે મારી જોડે જે કોઈ કામ કરે અને જે કોઈ હોય એ બધા સુખી થાય.’
	સ્વામીશ્રી તેઓની ભાવના જોઈને રાજી થયા અને આશીર્વાદ આપ્યા.
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Gadhadã II-3:
                                             
                                            Attaining of Falling from a Great Status
                                        
                                        
                                            
	“… In addition, all those who abide by the niyams prescribed by Shri Krishna Bhagwãn attain a great status, whereas those who do not abide by those niyams fall from their status, even if they are great. It is also said that if a common person breaches those niyams, he will certainly regress.”
	[Gadhadã II-3]