પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
અમેરિકાથી એક ફેક્સ આવ્યો હતો. એમાં એ મુમુક્ષુએ નિષ્કપટભાવે લખ્યું હતું કે ‘મેં એટલાં બધાં પાપ કર્યાં છે કે યાદ પણ નથી, લખવા બેસું તો પાનાનાં પાનાં ભરાઈ જાય. એટલે મને સ્વીકારીને મારી મુમુક્ષુતા ચકાસીને એક એવી આજ્ઞા કરો કે જે હું શિર સાટે પાળીને આપને રાજી કરી શકું.’
ફેક્સ વાંચીને દયાવંત સ્વામીશ્રી થોડી વાર વિચારમાં પડ્યા. પછી બોલ્યા : ‘કેટલાં બધાં પાપ કર્યાં છે ?’ આટલું કહીને કહે : “ભગવાનને પ્રાર્થના કરવી કે ‘આવાં પાપ થાય નહીં, ભૂલ ન થાય અને જીવન પવિત્ર રાખે.’ આવી પ્રાર્થના સાથે રોજ પાંચ જનમંગલના પાઠ કરવા.’
સ્વામીશ્રી એવા વિશાળ હૃદયી ગુણાતીત પુરુષ છે કે અનંત પાપોને પણ માફ કરી શકે છે.
Vachanamrut Gems
Gadhadã II-38:
The characteristics of an ekantik bhakta
“An ekãntik bhakta would firstly possess the virtue of ãtmã-realisation; secondly, he would possess vairãgya; thirdly, he would be staunch in his observance of dharma; and fourthly, he would possess profound bhakti for Shri Krishna Bhagwãn…”
[Gadhadã II-38]