પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 24-5-2010, ગુણાતીતનગર (ભાદરા)
સ્વામીશ્રીએ ફરાળ અંગીકાર કર્યું. ફરાળ પૂરું કર્યા પછી સામે બેઠેલા સંતો પૈકીના અહીં રહીને વરસોથી સેવા કરતા શ્રીજીપ્રિય સ્વામીને સંબોધીને સ્વામીશ્રી કહે : ‘ગામમાં દારૂ અને ગુટખા બહુ પેસી ગયા છે. એટલે બધાને નિયમ આપજો અને સમજાવજો કે આ ખોટાં વ્યસન છે. પૈસા વેડફાય છે અને તબિયત બગડે છે. પૈસા હશે તો કામ લાગશે. પૈસા જશે તો શું કરશો ? એટલે ખાસ બધાને વાત કરજો અને મંદિર થયું છે તો દર્શનનો નિયમ આપજો. બધાને બોલાવતા રહેજો અને રોજ ફોલોઅપ કરતા રહેજો.’
Vachanamrut Gems
Vartãl-1:
Conviction of God's From is Nirvikalp Samadhi
“… In the same manner, regardless of whether a person has controlled his prãns or not, if he has a firm conviction of the manifest form of Shri Krishna Bhagwãn – without any form of doubts whatsoever – then he has attained nirvikalp samãdhi.”
[Vartãl-1]