પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 27-3-2010, સારંગપુર
મુંબઈથી 15 વર્ષનો એક કિશોર દર્શને આવ્યો હતો. પંદર વર્ષની વયે જ ખરાબ સંગતને લીધે ગુંડાગીરી કરતો એ થઈ ગયો હતો. સાથે સાથે અફીણથી માંડીને ઘણાં પ્રકારનાં વ્યસન ઘૂસી ગયાં હતાં. માંડ દસમામાં આવેલા આ કિશોરને પોતે ખરાબ માર્ગે ઊંડો ને ઊંડો જતો રહે છે એની પ્રતીતિ થઈ હતી અને એટલે જ સ્વામીશ્રી પાસે પ્રાયશ્ચિત્ત લઈને સુધરવા આવ્યો હતો.
સ્વામીશ્રીને તે કહે : ‘શરૂઆતમાં તો મિત્રો સાથે રોફ મારવાની બહુ મઝા આવતી, પરંતુ પછી તો પૈસા લાવીને વ્યસન કરવા અને કરાવવાનું થતું. અફીણ લાવનારાઓ સાથે સોદા કરવા પડતા અને એને કારણે ગભરાયો અને પાછો વળવાની કોશિશ કરવા માટે એવા મિત્રો સાથે જવાનું બંધ કરવા માંડ્યું, પણ હવે મિત્રો જ પરાણે દબાણ કરે છે, પૈસા માગે છે અને ન કરવું હોય તોય વ્યસન કરાવે છે. આપ દયા કરો તો આમાંથી છુટાય અને કાંઈક પ્રાયશ્ચિત્ત આપો.’
સ્વામીશ્રી આ સાંભળીને અવાક્ થઈ ગયા. આટલા નાના કિશોરને શું કહેવું ? પરંતુ સ્વામીશ્રીએ કહ્યું : ‘ભગવાનને સંભારજે અને ભૂલેચૂકે પણ આવી સોબતમાં પડતો નહીં, ભણવામાં ધ્યાન રાખ ને એવા મિત્રો સાથે જવાનું ટાળી દેજે.’
Vachanamrut Gems
Gadhadã II-16:
Shraddhã – the means to greatness
“… In the same way, if a person has abundant shraddhã, then even if he has only recently become a satsangi, he will still become great…”
[Gadhadã II-16]