પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 9-5-2010, અમદાવાદ
આજની સભામાં બાળકોએ જુદા જુદા કાર્યક્રમો કર્યા હતા. ‘સ્વામીના બાગમાં ખીલ્યા રે અમે ફોરમતાં ફૂલ’ એ મધ્યવર્તી વિચાર હતો. સ્વામીશ્રીના સંગે નાના નાના બાળકોમાં પણ કેવી દૃઢતા હોય છે ! એવા કેટલાક પ્રસંગો આજની સભામાં રજૂ કરવામાં આવ્યા હતા.
મેહુલભાઈ નામના કાર્યકરે અન્ય પ્રેરક પ્રસંગની વાત કરતાં કહ્યું : ‘મણિનગર-ઈસનપુર વિસ્તારમાં એક સિંધી કુટુંબ સત્સંગી છે. એ કુટુંબમાંથી એક બાળકી આપણી બાલિકા સભામાં નિયમિત આવે છે. એક દિવસ સાઇકલ ઉપર ટ્યૂશનથી પરત આવતી હતી ત્યારે ગાયે એને હડફેટે લીધી. આ ચાંદની નામની બાળકી નીચે પડી ગઈ અને કેટલાય અંતર સુધી ઢસડાઈ. એને તાત્કાલિક દવાખાને લઈ જવી પડી. શરીરમાંથી ખૂબ જ લોહી નીકળતું હતું. ટાંકા લેવા પડે એમ હતા. બાલિકા કાર્યકરો ત્યાં પહોંચ્યાં ત્યારે જોયું કે બેભાન કર્યા વગર જ ટાંકા લેવાતા હતા. છતાં આ બાળકીના મુખ ઉપર દુઃખનો એક પણ ઊંહકાર નીકળતો ન હતો. સતત ‘મહારાજ-સ્વામી... મહારાજ-સ્વામી’નું રટણ ચાલતું હતું.’
આ બાળપ્રવૃત્તિથી સદવાંચન તથા તપ-વ્રતની ભાવનાઓ પણ ખીલે છે. એવા ઘણા પ્રસંગો પણ પ્રસ્તુત થયા. બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના નાનાં નાનાં બાળકોની આવી નિયમ-ધર્મની દૃઢતા નિહાળી સ્વામીશ્રી ખૂબ પ્રસન્ન થયા.
Vachanamrut Gems
Gadhadã II-33:
Shriji Maharaj's Desirelessness for Panchvishays
“… Even though I am insistingly offered the panchvishays without actually wishing for them Myself, I still do not have any desire for them. In fact, I push them away…”
[Gadhadã II-33]