પ્રેરણા પરિમલ
ઠાકોરજીને ધરાવ્યું ?
૧૯૮૬માં સ્વામીશ્રી સુરતમાં પધરામણીએ નીકળ્યા. પરિશ્રમ ખૂબ પડ્યો. વચ્ચે તરસ લાગેલી પણ સહન કર્યું. મંદિરે પધાર્યા. સીધા બાકડા પર બેસી જ ગયા. કંઠ સૂકાતો હતો. સેવકે પાણી ધર્યું. તરત સ્વામીશ્રીએ પૂછ્યું : 'હરિકૃષ્ણ મહારાજને ધરાવ્યું ?' સેવક ધરાવ્યા વિના લાવેલા.
તીવ્ર તરસ હોવા છતાં સ્વામીશ્રીએ જળ ગ્રહણ ન કર્યું, વાડકો હાથમાંથી નીચે મૂકી દીધો. બીજા ગ્લાસમાં હરિકૃષ્ણ મહારાજે જલપાન કર્યું પછી જ સ્વામીશ્રીએ તે પ્રસાદીભૂત પાણી મોંમાં મૂક્યું !
ઠાકોરજીને તરસ લાગી હશે, તેનું કેટલું આત્મીય અનુસંધાન !
Vachanamrut Gems
Gadhadã II-33:
God's Proximity
“If a person firmly observes the vow of non-lust, then he is never far from God…”
[Gadhadã II-33]