પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											સ્વામીશ્રીનો પરિચય 
									
                                    
                                        
	લેસ્ટરમાં સ્વામીશ્રી બપોરનું ભોજન લઈ રહ્યા હતા. ત્યારે એક કાર્યકરભાઈ કિશોરોનો પરિચય કરાવવા લાગ્યા. એમણે રજૂ કરેલી રસભરી આ માહિતી સ્વામીશ્રીના વ્યક્તિત્વનો કેવો પ્રભાવ પાથરે છે !
	જેમજેમ કિશોરોનો પરિચય અપાઈ રહ્યો હતો, તેમતેમ લાગતું હતું કે આ માત્ર કિશોરોનો પરિચય નથી થઈ રહ્યો પણ સાથે સાથે સ્વામીશ્રીની દિવ્ય પ્રતિભાનો પરિચય પણ થઈ રહ્યો છે.  તપોવનમાં જોવા મળે તેવા સેવા, સદાચાર, સમર્પણ ને નિયમ-ધર્મયુક્ત કિશોરો સ્વામીશ્રીએ વિદેશની ભોગભૂમિમાં પણ તૈયાર કર્યા છે. કચ અને નચિકેતાઓની કતાર ખડી કરી દેનાર સ્વામીશ્રીની આ ક્રાંતિનાં ફળો સમાજ ચાખશે ત્યારે તેને સ્વામીચરણે નમી પડવા સિવાય કંઈ જ કરવાનું બાકી નહીં રહે !
	પરિચયવિધિના અંતિમ ચરણમાં એક કિશોરની વાત કરતા સંચાલકે કહ્યું : 'સ્વામી ! અમને એમ કે આ   કિશોર આપની સાથે ફરતો રહે છે પણ સાથે આ વખતે બે વિષયમાં 'એ' ગ્રેડ લઈ આવ્યો છે.'
	સ્વામીશ્રી તે સાંભળી કહે : 'વાહ ! સારું સારું. સત્સંગ કરવો પણ પાછુ ભણવુંય ખરું. શિક્ષણ પણ અગત્યનું છે. શિક્ષણમાં પણ પહેલો નંબર લેવો ને સત્સંગમાં પણ પહેલો લાવવો. તો મા-બાપ, શિક્ષક ને બધાં રાજી થાય. નિયમ-ધર્મની પણ દૃઢતા રાખવી તો બધાને છાપ પડે કે આ કિશોરો ખરા. બહારનું કશું ખાતા-પીતા પણ નથી. આપ બધાની વાત સાંભળી અમે ખૂબ રાજી થયા છીએ. આવું ને આવું બળ કાયમ રાખજો. આપણે મંદિર કરવું છે તેના આયોજનમાં આપને સફળતા મળે તે આશીર્વાદ છે. સેવાથી બળ મળશે ને ભગવાન પણ રાજી થશે. ભગવાનના કામ કરીએ તો અભ્યાસ અને બીજાં બધાં કાર્યમાં બળ મળે...' પરા અને અપરા બંને વિદ્યાના પાઠ સ્વામીશ્રીએ ભણાવ્યા. ભોજનને અંતે ચળું કરવાનું અટકાવીને સ્વામીશ્રી કિશોરો પર આ અમૃત ઢોળી રહ્યા હતા. અંતે સામેથી જ સૌને બોલાવતાં કહે : 'આવો બધા. આશીર્વાદ આપીએ.' સૌને આશિષ આપી અંતરનો રાજીપો દર્શાવ્યો.
	(લેસ્ટર : તા. ૨૩-૬-૨૦૦૦)
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Gadhadã I-29:
                                             
                                            Intensification of Bhakti
                                        
                                        
                                            
	Thereupon Gopãlãnand Swãmi asked, "How can the force of bhakti coupled with dharma, gnãn and vairãgya be intensified? Shriji Mahãrãj replied, "There are four means to accomplish this: One is a pure place, the second is an auspicious time, the third is pious actions, and the fourth is the company of a holy person. Of these, the influence of actions is slight, whereas the influences of place, time and company are more powerful… Therefore, one should stay where there is a pure place and should abandon - by whatever means necessary - a place where the time has become unfavourable. One should keep the company of devotees of God as well as the company of the Sant who is a knower of Brahma and who observes the five religious vows. As a result, a devotee\\'s bhakti for God gains tremendous vigour. This is the answer to your question."
	[Gadhadã I-29]