પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
પરમવિવેક સ્વામી તથા જ્ઞાનવર્ધન સ્વામી સંસ્કૃતનો ઉચ્ચ અભ્યાસ કરી રહ્યા છે. આજે પરમવિવેક સ્વામીએ સંસ્કૃતમાં લખેલો પત્ર શ્રુતિપ્રકાશ સ્વામીએ વાંચ્યો. ત્યારપછી તરત જ ફોનમાં તેઓને આશીર્વાદ આપતાં સ્વામીશ્રી કહે : ‘પત્રમ્ પઠિતમ્। બહુ સારું છે. સારા પંડિત બનો અને શ્રીજીમહારાજની સેવા થશે, જોગીબાપા રાજી થશે. તમે મહેનત કરો છો એટલે આગળ વધશો. સાથેના સંતને પણ જય સ્વામિનારાયણ.’ (જ્ઞાનવર્ધન સ્વામી)
ફોનમાં આશીર્વાદ પત્યા પછી ધર્મચરણ સ્વામીએ એ પત્ર સ્વામીશ્રી આગળ મૂક્યો અને કહ્યું : ‘પ્રસાદીનો કરી આપો એટલે પાછો મોકલી દઈશ.’
સ્વામીશ્રીએ સંસ્કૃતમાં આવેલા પત્રમાં જ સહી કરવાને બદલે આશીર્વાદ લખી આપ્યા : ‘આપે સંસ્કૃત લખેલ છે, તે વાંચીને આનંદ થયો. પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ રાજી થશે અને સાક્ષાત્ સ્થાન મહેળાવ શ્રીજીમહારાજનું પ્રસાદીનું સ્થાન અને શાસ્ત્રીજી મહારાજના જન્મસ્થાનમાં દર્શન-સમાગમનો લાભ થયો છે. સારા વિદ્વાન થશો તે આશીર્વાદ છે.’
Vachanamrut Gems
Gadhadã II-44:
A staunch devotee perceives only his own flaws
“Thus one who is a staunch devotee of God perceives only his own flaws, but never does he notice the flaws of other devotees.”
[Gadhadã II-44]