પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											હરિભક્તોને રાજી કરી લેવા... 
									
                                    
                                        
	આંખે મોતિયો, પિત્તાશય અને ગાંઠનું આૅપરેશન, પગે વા અને હાર્ટની બીમારી... આવાં આવાં દર્દોને ગણકાર્યા વગર પ્રમુખસ્વામી મહારાજ વિચરણ કરતા અને હરિભક્તોને ત્યાં પધરામણી કરતા. સને ૧૯૭૩માં વાસદમાં એક નિર્જળા એકાદશીના ઉપવાસમાં પણ સવારના સાડા આઠ વાગ્યાથી બપોર પછીના પોણા ત્રણ વાગ્યા સુધી અણથક રહીને ૧૨૨ પધરામણીઓ કરી હતી. આટલા થાક પછી ઉતારે જઈને સ્વામીશ્રીએ પત્રલેખન શરૂ કર્યું. થોડાક પત્રો લખ્યા પછી સ્વામીશ્રી કહે : 'થોડો આરામ કરીએ.' ગમે તેટલી પધરામણીઓ કરી હોય પણ સ્વામીશ્રી કદી આમ સૂઈ જતા નહીં એટલે સંતોને આશ્ચર્ય થયું. સંતોએ જોયું તો શરીરમાં તાવ હતો. માપ્યો તો એ ૧૦૨ ડિગ્રી હતો ! પૂછતાં જાણવા મળ્યું કે શરીરમાં તાવ તો સવારથી જ હતો. આવા તાવમાં એમણે ૧૨૨ પધરામણીઓ કરી હતી ! અને સંતોએ જ્યારે કહ્યું કે શરીર નરમ હતું તો આ કષ્ટ શા માટે ઉઠાવ્યું? તો સ્વામીશ્રીએ જવાબ આપ્યો : 'શરીર તો આમ ચાલ્યા કરે, હરિભક્તોને રાજી કરી લેવા.'
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Loyã-1:
                                             
                                            Highest Level of Gnan
                                        
                                        
                                            
	"A person with the highest level of gnãn, however, would not be deluded even after seeing any type of pure or impure actions performed by God, and his conviction would not diminish. Moreover, even if the person who initially convinced him of God were to say, 'He is not God,' he would feel, 'This person must be mad.' Such a person can be described as one with the highest level of gnãn."
	 
	[Loyã-1]