પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											...હૃદયની ભક્તિ જાણનારા 
									
                                    
                                        
	નવસારીમાં એક સાંજે વૉકિંગ બાદ તુષારભાઈની જમીન પર સ્વામીશ્રી પ્રસાદીનાં પુષ્પો વેરતા હતા. ત્યાં એક ભરવાડણ બાઈ સ્વામીશ્રીને કોઈ મહાત્મા સમજી દર્શન માટે દોડી આવી. એક રૂપિયો હાથમાં લઈ ચરણમાં મૂકવા તે આગળ આવતી હતી. હરિભક્તોએ તેને રોકી. હરિભક્તોની હલચલ પરથી સ્વામીશ્રી પરિસ્થિતિને પામી ગયા. એક હરિભક્ત દ્વારા ઠાકોરજી તેની આગળ મોકલાવ્યા. સ્વામીશ્રી ભરવાડણની ભક્તિ સમજતા હતા. પણ અષ્ટાંગ બ્રહ્મચર્યનો ધર્મ પણ એમના રોમરોમમાં વ્યાપ્ત હતો. છતાં કોઈ ભાવુક વ્યક્તિને હડધૂત કેમ કરી શકાય ? પોતાના ધર્મમાંથી સહેજ પણ ચળ્યા સિવાય સ્વામીશ્રીએ વચલો માર્ગ કાઢીને ભરવાડણની ભાવનાને માન આપ્યું અને ભગવાનનાં દર્શન કરાવ્યાં.
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Loyã-1:
                                             
                                            The Cause of Not Feeling Fulfilled Within
                                        
                                        
                                            
	Thereafter, Motã Shivãnand Swãmi asked, "Despite having complete faith in God, why does one not feel fulfilled within?"
	
	Shriji Mahãrãj replied, "A person whose antahkaran burns due to the enemies of lust, anger, avarice, affection, egotism, cravings for taste, etc., would not believe himself to be fulfilled - even if he does have faith in God."
	 
	[Loyã-1]