પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 22-3-2010, સારંગપુર
રૂપચોકીમાં બેઠેલા સંતો ગાઈ રહ્યા હતા : ‘જે જે હરિએ કર્યું હેત, એવું કરે કોણ આપણે રે; માત તાત સગા સમેત, માન્યા સનેહી ભોળાપણે રે...’
સ્વામીશ્રીએ ભોળાપણના અર્થને સ્પષ્ટ કરતાં કહ્યું : ‘આપણાં જે હતાં નહીં એને પણ (સાંસારિક રીતે) માબાપ માની લીધા. નથી છતાં પણ મનાય, ન હોય છતાં પણ સમજાય એને ભોળપણ કહેવાય. (આધ્યાત્મિક રીતે ભગવાન અને સંત) સાચાં મા-બાપ મનાય એટલે પેલું બધું ભૂલી જવાનું.’
નીલકંઠસેવા સ્વામી કહે : ‘પેલાં હતાં (સાંસારિક મા-બાપ) એ બધાંને સાચું હેત કરતાં આવડ્યું નહીં અને આપને આવડે છે એટલે બધા અહીં આવી ગયા.’
‘એ સાચું છે.’ સ્વામીશ્રીએ સૂર પુરાવ્યો.
Vachanamrut Gems
Gadhadã II-16:
The Importance of Niyams
“… However, if a person does not observe these niyams, then regardless of how intense his vairãgya may be, or how much gnãn he may possess, he will not remain stable in any way…”
[Gadhadã II-16]