પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
									
                                    
                                        
	તા. 10-1-2017, અમદાવાદ
	આખી ‘વેસ્ટર્ન રેન્જ’(પશ્ચિમ સરહદ)ના ચીફ શ્રી અજયભાઈ તોમર આજે સ્વામીશ્રીને મળવા માટે આવ્યા હતા. તેમના હાથ નીચે બી.એસ.એફ.ના 20,000 જવાનો પાકિસ્તાનની બૉર્ડર પર ભારતનું સંરક્ષણ કરી રહ્યા છે.
	બ્રહ્મવિહારીદાસ સ્વામીએ જણાવ્યું કે ‘તેમની ઇચ્છા ફક્ત એક વાર આપનો સ્પર્શ થઈ જાય એવી હતી.’
	પછી તેમને પૂછ્યું : ‘બીજી કોઈ ઇચ્છા છે ?’
	અજયભાઈ કહે : ‘ના, ખાલી આશીર્વાદ જોઈએ છે.’
	સ્વામીશ્રીનાં ચરણે પડીને તેમણે આશીર્વાદ લીધા અને પછી વિદાય લીધી.
	બહાર નીકળીને તેમણે બ્રહ્મવિહારીદાસ સ્વામીને કહ્યું : ‘મેં મહંત સ્વામી મહારાજના મુખ પર જે આત્મસંતોષ જોયો તેવો કોઈના મુખ પર જોયો નથી.’
	બીજે દિવસે તેમનો બ્રહ્મવિહારીદાસ સ્વામી પર ફોન આવ્યો : ‘મને અત્યારે શાંતિ શાંતિ વર્તે છે.’ બીજી વાત કરતાં તેમણે કહ્યું : ‘આપણા હિંદુ ધર્મ અને સંસ્કૃતિને બચાવી શકે તેવું કોઈ હોય તો તે મહંત સ્વામી મહારાજ અને બી.એ.પી.એસ. છે.’
	સ્વામીશ્રીના અલ્પ પ્રસંગનો પણ કેવો અદ્ભુત પ્રભાવ છે !
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Loyã-17:
                                             
                                            Finding Faults Only in Oneself
                                        
                                        
                                            
	"… In the same manner, then, if a person has realised the greatness of the Sant, then regardless of how much the Sant scorns him, he would never become upset with the Sant. In fact, if he does find a fault in anyone, he would find it in himself, but in no way would he perceive a flaw in the Sant…"
	[Loyã-17]