પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૪૯
દારેસલામ, ૧૯૬૦
દેશમાં જેમ યુવકો રજાઓમાં યોગીજી મહારાજ પાસે દોડી આવતા અને એમના સત્સંગપ્રવાસમાં સાથે ફરતા, સત્સંગનો લાભ લેતા, એવી જ રીતે અહીં પરદેશમાં પણ યુવાનો આવી પહોંચ્યા હતા. નૈરોબીથી કુમુદભાઈ, શાંતુભાઈ અને રમેશભાઈ; મબાલેથી બલભદ્રભાઈ; ટરોરોથી જશભાઈ વગેરે સમાગમનો લાભ લઈ રહ્યા હતા. નાનકડા રમેશભાઈ પોતાનું સ્થૂળ શરીર હોવા છતાં સાથેના યુવકોનાં કપડાં ધોવાની સેવા હોંશે હોંશે કરતા.
એક દિવસ આ રીતે મંદિરના બાથરૂમમાં બધા યુવકોનાં કપડાં ભેગાં થયેલાં અને સ્વામીશ્રી બાથરૂમમાં લઘુ કરવા પધાર્યા. યુવકોનાં ધોવાનાં કપડાં એમનેમ પડેલાં જોઈ સ્વામીશ્રીએ બાથરૂમનું બારણું અંદરથી બંધ કરી દીધું અને જાતે કપડાં ધોવા બેસી ગયા. આજે આ સેવાનો અવસર મળ્યો એથી એમનો હર્ષ સમાતો ન હતો. કપડાં ધોઈને જ્યારે સ્વામીશ્રી બહાર પધાર્યા, ત્યારે જ સૌને ખબર પડી કે આજે તો બાપાએ સૌનાં લૂગડાં ધોઈ નાંખ્યાં. સ્વામીશ્રીની સેવાભાવના આગળ સૌ શરમિંદા પડી ગયા, પણ સાથે સેવાનો મહિમા જાણ્યો. સ્વામીશ્રી વાતો કરતાં આચરણથી સૌને વધુ સમજાવતા.
અમદાવાદમાં પણ આવી જ રીતે એક બપોરે મંદિરના જૂના મકાનની ચોકડીમાં પડી રહેલાં વાસણો માંજી નાંખ્યાં હતાં. આ બબુભાઈ કોઠારીએ નજરે જોયું હતું.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Loyã-5:
A Solid Foundation in Satsang
Then Shriji Mahãrãj asked, "Whose foundation in Satsang becomes solid and whose does not?"
Again, the paramhansas could not answer.
So Shriji Mahãrãj replied, "Just as Dattãtreya imbibed the virtues of the five bhuts, the moon, various animals, a prostitute, a virgin, his own body and others, similarly, only if a person has the disposition of imbibing the virtues of a sãdhu does his foundation in Satsang become solid. If a person does not have such a disposition, then even though he remains in Satsang, his foundation is not firm."
[Loyã-5]