પ્રેરણા પરિમલ
દર્શન કરવાની તાલાવેલી
સને ૧૯૬૮માં યોગીજી મહારાજ અને સંતો ઉત્તરભારતની યાત્રાએ ગયા હતા. જેમાં વિશેષ તો ભગવાન સ્વામિનારાયણના જન્મસ્થાન અને બાળલીલાના સ્થાનનાં દર્શન કરવાનો વિશેષ હેતુ હતો. એક રાત્રે અયોધ્યા મંદિરમાં સૌ સંતો-હરિભક્તો સાથે સ્વામીશ્રી સત્સંગ સભામાં બિરાજ્યા હતા. બીજે દિવસે સવારે ત્યાંથી છપૈયા જવા નીકળવાનું હતું. તેથી સ્વામીશ્રીએ સૌને સવારે વહેલા ઊઠીને તૈયાર થઈ જવા માટે ભારપૂર્વક આજ્ઞા કરી. એમના આદેશમાં છપૈયા જવાની ભારોભાર ઉત્કંઠા જણાતી હતી. 'હું ત્રણ વાગે ઊઠીને તૈયાર થઈ જઈશ.' સ્વામીશ્રીએ પોતાનો નિર્ણય જાહેર કર્યો અને પછી આરામમાં પધાર્યા.
બીજા દિવસે વહેલી સવારે સ્વામીશ્રી ઊઠી ગયા. સ્નાન કરતી વખતે પોતે કહે, 'આજે રાત્રે છપૈયા જવાનો જ ફડકો રહ્યો છે. ઊંઘ નથી આવી.' જલ્દી જલ્દી નિત્યવિધિથી પરવારી તૈયાર થઈ ગયા અને સૌને નીકળવા માટે પડકારો કર્યો. મંદિરમાં ઠાકોરજીનાં દર્શન કરવા પધાર્યા પણ ઠાકોરજી પોઢ્યા હતા તેથી દ્વારનાં દર્શન કર્યાં અને સ્થાનિક સંતોને મળીને મોટરમાં બિરાજ્યા. અન્ય સંતો-હરિભક્તો બસમાં ગોઠવાઈ ગયા. લગભગ ૬.૦૦ વાગે સૌ મનકાપુર સ્ટેશને આવી પહોંચ્યા. અહીંથી છપૈયા ટ્રેનમાં જવાનું હતું. પણ ગાડીનો સમય થયો ન હોવાથી સ્વામીશ્રી વિશ્રામઘરમાં બિરાજ્યા હતા. કેટલાક સંતો-હરિભક્તો આજુબાજુ ઊભા હતા.
તેમની પ્રાતઃપૂજાનો પ્રસાદ કાજુ તથા પેંડા સેવક સંતે સ્વામીશ્રી આગળ ધર્યા. એમાંથી થોડું સ્વામીશ્રી ગ્રહણ કરે તો સારું એવો એમનો આશય હતો. પણ સ્વામીશ્રીએ તો તે સઘળો પ્રસાદ સૌ સંતો-હરિભક્તોને વહેંચી દીધો. એક કણકો પણ મોઢામાં ન મૂક્યો.
સેવક સંતે ફરીથી થાળી ભરીને મગજ સ્વામીશ્રી આગળ ધર્યો તે પણ સ્વામીશ્રી સૌને વહેંચવા લાગ્યા. 'બાપા, આપ થોડું લો ને.' સૌએ વિનંતી કરી.
'હું તમને જમાડું છું ને, તમારામાં રહીને જમું છું.' બહુ આગ્રહ કર્યો ત્યારે હ્રદયમાં રહેલી ઈષ્ટભક્તિની વાણી ઉચ્ચારતાં બોલ્યા, 'હું છપૈયા દર્શન કરીને પછી જમીશ.' સ્વામીશ્રીની શ્રદ્ધા અને ભક્તિભાવભરી ટેક તેમજ સાક્ષાત્ છપૈયા મહાતીર્થસ્થાનનાં દર્શન કર્યા પછી જ કંઈ લેવાના નિર્ણય નિહાળી સૌ દંગ રહી ગયા.
Vachanamrut Gems
Gadhadã I-73:
The Wise Realize Shriji Maharaj's Glory
"Those who are wise realise all My characteristics by staying close to Me. They realise, 'Mahãrãj has no affection for any object in this world that can arouse infatuation - wealth, women, ornaments, food and drink, etc. In fact, Mahãrãj remains dejected from all these things. When, out of compassion, He allows some person to sit near Him or talks to him of gnãn, it is purely out of compassion for the liberation of the jiva.' On the other hand, those who are fools - whether they stay near or far - cannot understand My nature as such."
[Gadhadã I-73]