પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમા... 
									
                                    
                                        
	ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાં ગંગાજળિયા કૂવા પાસે સંતો-હરિભક્તોની સભા ભરીને બિરાજમાન હતા.
	શ્રીહરિએ ઠેર ઠેર મંદિરો રચવા માટે સંતો-હરિભક્તોનો અભિપ્રાય માગ્યો, 'આપણે મંદિર કયા કયા ગામમાં અને કેટલાં હોય તો ઠીક?'
	હરિભક્તોમાંથી કોઈ અમદાવાદ તો કોઈ વરતાલ વગેરે નામો બોલવા લાગ્યા. પછી શ્રીહરિએ સભામાં દૂર બેઠેલાં બાઈ હરિભક્તોને પૂછ્યું. બાઈ હરિભક્તોએ કહ્યું: 'ગઢડામાં તો હોવું જ જોઈએ. કારણ કે મહારાજ ગઢડા બહુ રહ્યા છે. પણ ઝાઝાં મંદિર સારાં નહિ.'
	આ સાંભળી શ્રીહરિએ હાથમાં માળા લીધી અને કહ્યું: 'ભગવાનને ઝાઝાં મંદિર ગમતાં હોય તો બેકી સંખ્યા આવે, નહિતર એકી સંખ્યા આવે.' એમ કહી તેમણે માળા ફેરવી અને અંતે સંખ્યા બેકી આવી.
	મહારાજે સૌ પર કરુણા વરસાવતાં કહ્યું: 'ગામોગામ મંદિર ભલે થાય.'
	આજે ગામોગામ સ્થપાઈ રહેલા સ્વામિનારાયણ મંદિરોના મૂળમાં ભગવાન સ્વામિનારાયણનો આ દિવ્ય સંકલ્પ સમાયો છે.
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Panchãlã-7.3:
                                             
                                            Knowing God Perfectly
                                        
                                        
                                            
	"… Moreover, just as the form of God in Akshardhãm is resplendent with countless divine powers and divine light at the end of ãtyantik-pralay, one should realise exactly the same regarding the manifest God in human form. One who realises this is said to have known God perfectly."
	 
	[Panchãlã-7.3]