પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૩૦૧
અમદાવાદ, તા. ૧-૮-૧૯૭૦
આજે 'ટાગોર હૉલ'માં યોગીજી મહારાજનો જાહેર સન્માન સમારંભ હતો અમે સભામાં જઈ રહ્યા હતા તે સ્વામીશ્રી એકાએક મને કહે, 'મારે શું કહેવું ?'
સ્વામીશ્રી ઘણીવાર આવી મનુષ્યલીલા કરી આપણને શરમાવી દેતા અને પરીક્ષા પણ કરી લેતા. આપણે મૌન સેવીએ તોપણ બહુ આગ્રહ કરીને પૂછે.
'બાપા ! આપને ઠીક લાગે તે...' મેં કહ્યું.
'ના, કહો,' સ્વામીશ્રીએ આગ્રહ કર્યો. 'બાપા, આપ તો બધું જાણો છો.' એમ મેં કહ્યું, પણ સ્વામીશ્રીએ આગ્રહ છોડ્યો નહિ. સભામાં મુખ્ય પ્રધાન વગેરે મહાનુભાવો આવવાના હતા. તેમને તથા ગુજરાત રાજ્યને આશીર્વાદ આપવાની વાત થઈ. એવામાં ટાગોર હૉલ આવી ગયો.
સમર્થ થકા જરણા કરતા સ્વામીશ્રી ઘણીવાર આપણને આવી ભુલવણીમાં નાંખી દેતા. ત્યારે સદ્. નિષ્કુળાનંદ સ્વામીના શબ્દો સાંભરી આવે -
'એની આગળ જો આપણ, કોણ ગણતરીમાં આવીએ રે,
શીદ ડોળીને ડહાપણ, સમજુ શાણા હસાવીએ રે.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Kãriyãni-3:
A Determined Youth vs. a Lazy Youth
"… A person who is determined in that he feels, 'It is not good that I am having these base thoughts,' and who makes an effort to eradicate those thoughts, and who remains determined until they have been eradicated, progresses in his youth. On the other hand, one who is lazy instead of being alert, will not progress. So, a virtuous person like the former can be recognised from his childhood."
[Kãriyãni-3]