પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											કષ્ઠ વેઠીને સગવડ આપી
									
                                    
                                        
	સને ૧૯૬૫માં બ્ર?સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજનો શતાબ્દી મહોત્સવ ઊજવાઈ રહ્યો હતો. મહા સુદ પાંચમનો મુખ્ય મહોત્સવ હતો. એની આગલી રાત્રે એટલે કે મહા સુદ ચોથની રાતે સ્વામીશ્રી સભાની સમગ્ર વ્યવસ્થા તથા અન્ય પૂર્વ તૈયારી પતાવી રાતના લગભગ બે વાગ્યે આરામ કરવા આવ્યા. ઠંડીના દિવસો હતા. સ્વામીશ્રી સૂતા ત્યાં જ નડિયાદના એક હરિભક્ત આવીને સ્વામીશ્રી જ્યાં સૂતા હતા, એ ઓરડાનું ખુલ્લું બારણું ખટખટાવવા માંડ્યા. સ્વામીશ્રી જાગી ગયા. પેલા ભાઈ તો બોલવા લાગ્યા કે અહીં કોઈ ધ્યાન રાખતું નથી. ઉતારો નથી મળ્યો અને ગાદલાં-ગોદડાંની વ્યવસ્થા નથી. એ ભાઈ રાતના આવા કસમયે આવેલા એટલે એવી બધી વ્યવસ્થા ક્યાંથી થાય ? સ્વામીશ્રીએ આ સાંભળીને પોતાનું ગાદલું, રજાઈ અને ઓશીકું એ ભાઈને આપી દીધું.
	પછી ઓરડામાં આવીને સામાન્ય રજાઈ પર સૂઈ ગયા. સ્વામીશ્રીએ આવા કસમયે આવનારને પણ પોતે કષ્ટ વેઠીને સગવડ કરી આપી.
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                 Gadhadã II-15:
                                             
                                            The Thought to Overpower Swabhavs
                                        
                                        
                                            
	“… Without this thought, though, the enemies in the form of the swabhãvs can never be overpowered, regardless of whichever types of other thoughts one may apply. Therefore, keeping enmity towards one’s swabhãvs is the greatest thought of all.”
	[ Gadhadã II-15]