પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
સ્ટાર ન્યૂઝના ગુજરાતના વડા બ્રિજેશકુમારસિંહ દર્શને આવ્યા. તેઓને સ્વામીશ્રી પ્રત્યે ખૂબ આદર છે. વૉટર શૉનું પ્રસારણ પણ તેઓએ 72 દેશોમાં કર્યું હતું. તેઓ સ્વામીશ્રીને કહે : ‘આપને કોઈ ચિંતા છે ?’
સ્વામીશ્રી કહે : ‘ભગવાન ભજીએ છીએ અને ભજાવીએ છીએ, અને એમ માનીએ છીએ કે જે કાંઈ કરશે એ ભગવાન જ કરશે. ભગવાન બધું કર્યા કરશે. ભગવાન મળ્યા છે એટલે કોઈ ચિંતા નથી.’
તેઓએ પ્રશ્ન કર્યો : ‘હજી કંઈ કરવાનું બાકી છે ?’
સ્વામીશ્રી કહે : ‘ભગવાન અને સંત મળ્યા, શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ જેવા સમર્થ ગુરુ મળ્યા, એમની નિષ્ઠા છે, એટલે કરવાનું કાંઈ બાકી છે જ નહીં.’
વિવેકજીવન સ્વામી કહે : ‘એ આપને એટલા માટે પૂછે છે કે તેઓને ટેન્શન બહુ રહે છે.’
સ્વામીશ્રી કહે : ‘અહીં આવ્યા છે એટલે ટેન્શન દૂર થશે અને ભગવાન બધા સંકલ્પ પૂરા કરશે.’
Vachanamrut Gems
Gadhadã II-57:
Affection for God and unaffection for worldly objects
“If a person has developed affection for God having thoroughly realised God in this way, he would not develop affection towards any worldly object, i.e., the body, the brahmãnd, etc. Instead, all worldly objects would become insignificant to him. After all, it was when King Chitraketu thoroughly realised the greatness of God that he renounced his ten million wives. He even renounced his empire, which spanned across the entire country…”
[Gadhadã II-57]