પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
શહેરના પોલીસ કમિશનર અને પાછળથી રાજ્યના ‘ડાયરેક્ટર જનરલ આૅફ પોલીસ’ થયેલા ખંડવાવાલા સાહેબને મળ્યા. તેઓ દાઉદી વોરા છે. પોતાના ઘરમાં ફક્ત બે જ ફોટા રાખે છે - એક તો કાબાનો ફોટો અને બીજો બાપાનો (સ્વામીશ્રીનો) ફોટો.
વાર્તાલાપ દરમ્યાન સ્વામીશ્રી કહે : ‘મોટા હોદ્દા ઉપર હોય એને સરળ થવું જ પડે. જોકે સત્તા હોય એટલે એ કરવું અઘરું પડે, પણ સરળ થવાથી સારું કાર્ય થાય છે.’
ખંડવાવાલા સાહેબ કહે : ‘શહેરમાં શાંતિ રહી છે એ આપના આશીર્વાદથી જ છે. બધું ભગવાનની દયા પર જ ચાલે છે.’
સ્વામીશ્રી કહે : ‘ભગવાનમાં શ્રદ્ધા છે એ મોટી વાત છે.’
ખંડવાવાલા સાહેબ કહે : ‘સંતો જેમ જેલમાં પ્રવચન કરવા જાય છે, એમ અમારા પોલીસબેડામાં પણ જરૂર છે. ત્યાં વ્યસનોની તકલીફ ખૂબ છે. પોલીસોને કામ કરવાનું દબાણ ખૂબ હોવાથી મેં એક યોજના કરી છે.’
એમ કહીને તેમણે પોલીસદળમાં સુંદર સુધારાનાં આયોજનો વિચાર્યાં હતાં તે સ્વામીશ્રી સમક્ષ પ્રસ્તુત કર્યાં. સ્વામીશ્રી તેમના આ વિચારોથી પ્રસન્ન થયા અને તેઓને આશીર્વાદ આપ્યા.
Vachanamrut Gems
Gadhadã II-54:
Developing profound attachment for the Bhakta of God
“… Likewise, only one who develops such profound attachment for the Bhakta of God has realised satsang to be the most redemptive of all spiritual endeavours…”
[Gadhadã II-54]