Celebration of the Rath Yatra festival at the BAPS Swaminarayan Mandir
રાજકોટ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિર દ્વારા ગુરુવારે રથયાત્રાનો ઉત્સવ ઉલ્લાસભેર ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે રાજકોટ મંદિરના કોઠારી પૂ.બ્રહ્મતીર્થ સ્વામી, પૂ.અપૂર્વમુનિ સ્વામીએ કલાત્મક રથમાં બિરાજમાન ભગવાન શ્રી જગન્નાથજી, શ્રી બળભદ્રજી અને બહેન સુભદ્રાજી સાથે શ્રી અક્ષરપુરુષોત્તમ મહારાજ અને પ્રગટ ગુરુહરિ મહંતસ્વામી મહારાજને કુમકુમનો ચાંદલો કરી રથયાત્રાનો આરંભ કરાવ્યો હતો. આ રથયાત્રા વરસતા વરસાદમાં બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરેથી શરુ થઈ, કાલાવડ રોડ અંડરપાસ થઈ મંદિરે વિરામ પામી હતી. રાજકોટ મંદિરના તમામ સંતોની સાથે હરિભક્તોએ ભક્તિપદોના ગાન સાથે ભગવાનને પધરાવેલ રથને વિહાર કરાવવાનો લાભ પ્રાપ્ત કર્યો હતો.