પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 9-4-2010, ગાંધીનગર
બ્રિજરાજસિંહ નામના એક યુવકને સ્વામીશ્રીએ આશીર્વાદ આપ્યા. તેઓના ગામની નજીક થયેલા એક પહોળા બોરમાં એક નાનો છોકરો પચીસ ફૂટ ઊંડે ઘૂસી ગયો હતો. ફાયરબ્રિગેડવાળા આવ્યા, પણ કોઈ રીતે એ છોકરાને કાઢી શકે એમ હતું નહીં. એટલે ફાયરબ્રિગેડવાળાએ આજુબાજુ આ તમાશો જોવા ઊમટેલી મેદનીને કહ્યું કે આપ બધામાંથી એક જણ અહીં આવો. એના પગે દોરડા બાંધીને ઊંધા માથે પચીસ ફૂટ સુધી અમે નાખીએ, જેથી છોકરાના હાથ પકડીને ઉપર લઈ આવી શકે. મેદનીમાં ઊભેલા કોઈ તૈયાર ન થયા. સત્સંગી યુવક બ્રિજરાજસિંહ ત્યાંથી પસાર થતા હતા. એમણે જોયું કે ‘એક જિંદગી બચે છે,’ એટલે પોતે તૈયાર થઈ ગયા અને સાવ સાંકડો વ્યાસ ધરાવતાં પચીસ ફૂટ ઊંડા બોરમાં ઊંધા માથે તેઓ ગયા અને છોકરાને બચાવીને બહાર લાવ્યા. કેવળ સ્વામીશ્રીના આધ્યાત્મિક બળથી તેઓએ આ સાહસ કર્યું, જેની નોંધ છાપાંઓએ પણ લીધી. તેઓને સ્વામીશ્રીએ ખૂબ પ્રસન્નતાભર્યા આશીર્વાદ આપ્યા.
Vachanamrut Gems
Gadhadã II-17:
Not Noticing Faults in Someone who Serves his Self-interests
“In fact, it is a usual custom in this world that an intelligent person will not notice a fault in someone who serves the person’s major self-interests…"
[Gadhadã II-17]