પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 31-8-2010, ભાવનગર
સ્વામીશ્રી પરવારીને મોટી પ્રદક્ષિણામાંથી પસાર થઈને મંદિર આગળ પધાર્યા ત્યારે અહીં કેટલાક વૃદ્ધ પાયાના જૂના હરિભક્તો વ્હીલચૅરમાં હરોળબદ્ધ રીતે બેઠા હતા. પ્રત્યેકને સ્વામીશ્રી વારાફરતી મળ્યા. ભડલી પરિવારના વનમાળીભાઈને જોતાં જ સ્વામીશ્રી કહે : ‘તમને ક્યારનો સંભારતો હતો.’
વનમાળીભાઈ કહે : ‘તમારો અમારા ઉપર કેટલો બધો પ્રેમ છે !’
સ્વામીશ્રી કહે : ‘તમારો શાસ્ત્રીજી મહારાજના વખતથી પ્રેમ ચાલ્યો આવે છે ને !’
સ્વામીશ્રી કોઈપણ કેન્દ્રમાં જૂના હરિભક્તોને ક્યારેય ભૂલતા નથી.
Vachanamrut Gems
Jetalpur-3.11:
Who Should be Considered Great?
“Secondly, in our Satsang one who is well-versed in the scriptures is not necessarily great. Who should be considered great? Well, he who, through vairãgya, considers all 14 realms to be as insignificant as a blade of grass; he who, just as he has firm attachment for his body, has firm conviction of God, i.e., Purushottam, as He is; and he who is oblivious to the world in the waking state just as he is oblivious to the world in the state of deep sleep – such a person is great in our Satsang.”
[Jetalpur-3.11]