પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 14-5-2010, ગુણાતીતનગર (ભાદરા)
સ્વામીશ્રી જામનગરથી ગુણાતીતનગર-ભાદરા પધાર્યા. અહીં સ્વામીશ્રીની પ્રેરણા, આજ્ઞા અને તેઓના આશીર્વાદથી અક્ષરબ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના જન્મ-સ્થાન ઉપર નકશીદાર સુંદર મંદિર બન્યું હતું. આ મંદિરની પ્રતિષ્ઠા નિમિત્તે જ સ્વામીશ્રી અહીં પધાર્યા હતા.
રાત્રે ભોજન અંગીકાર કરતી વખતે 1969માં યોગીજી મહારાજના હસ્તે થયેલા મંદિરની પ્રતિષ્ઠાનાં સંસ્મરણો જૂના સંતો વાગોળી રહ્યા હતા. કોઈકે કહ્યું કે ‘પ્રતિષ્ઠાના દિવસે ધજાની સેવા આણંદના રાવજીભાઈ દૂધવાળાએ કરી હતી.’
આ સાંભળતાં જ સ્વામીશ્રીએ કોઠારી ધર્મકુંવર સ્વામીને પૂછ્યું : ‘શંભુ(આણંદ)એ પણ નવા મંદિરમાં સેવા કરી છે, તો એને બોલાવ્યો છે ને ?’
હકારમાં ઉત્તર સાંભળીને સ્વામીશ્રીને સંતોષ થયો.
Vachanamrut Gems
Gadhadã III-35:
The Way of a Devotee of God
“… However, one should behave only in a manner that will please God; one should engage in bhakti and please Him and His Bhakta. That is the way of devotees of God.”
[Gadhadã III-35]