પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 23-1-2010, વડોદરા
સ્વામીશ્રી ઠાકોરજી જમાડતા હતા. એ દરમ્યાન પ્રબુદ્ધમુનિ સ્વામીએ તથા પૂજારી મંગલતીર્થ સ્વામીએ અત્યારે યુ.કે.માં, લંડનમાં ભણી રહેલા ભારતીય વિદ્યાર્થીઓની દુર્દશાની વાત કરી. ઈંગ્લેન્ડની સરકારી નીતિને કારણે અને નોકરી ન મળવાને કારણે ભારતથી દેવું કરીને ભણવા ગયેલા વિદ્યાર્થીઓ કાર-પાર્કિંગમાં ભરશિયાળામાં સૂઈ રહે છે. નોકરી ન મળવાને કારણે ભૂખમરો વેઠવાની દશા આવે ત્યારે માંગી-ભીખીને ખાવું પડે છે. આ સંદર્ભમાં કેટલાંક દૃષ્ટાંતો પણ કહ્યાં. સાથે સાથે એ પણ વાત કરી કે આપની પ્રેરણાથી મંદિરે દર શનિ-રવિ આપણે આ સૌને મફત જમાડીએ છીએ અને જે કોઈ આ રીતે દુઃખ-દર્દ લઈને આવે એ બધાને આશ્વાસન પણ આપીએ છીએ અને કાંઈક નોકરી મળે એ માટે પ્રયત્ન પણ કરીએ છીએ.’
સ્વામીશ્રી પ્રસન્ન થતાં કહે : ‘આશ્વાસન આપીને બધાને જમાડો છો એ મોટું કામ છે.’
Vachanamrut Gems
Panchãlã-1:
Aim to Attain God's Abode
"Therefore, keeping this thought in mind, all of you should resolve, 'Now we want to reach only the abode of God; we do not want to be tempted by the vain pleasures of the panchvishays along the way.' So, please keep such a firm resolve. Because what I have told all of you is My principle, please imbibe it firmly in your lives."
[Panchãlã-1]