પ્રેરણા પરિમલ 
                                    
                                    
										
											બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
									
                                    
                                        
	તા. 22-3-2010, સારંગપુર
હનુમાનજી-ગણપતિજીનાં દર્શન કરવા સ્વામીશ્રી રોજ પધારે છે. સ્વામીશ્રી દર્શન કરી રહ્યા હોય એ દરમ્યાન સંતો વિવિધ પ્રકારનાં પ્રેરણાવાક્યો બોલતા રહે છે. મોટે ભાગે બ્રહ્મસેતુ સ્વામી આવાં વાક્ય બોલતા હોય છે. આજે તેઓ પાછળ બેઠા હતા અને તેઓની આગળ બેઠેલા એક સંત વાક્ય બોલી રહ્યા હતા કે ‘ભગવાન અને સંતમાં હેત રહેશે એને સૌ બોલાવશે.’
	સ્વામીશ્રીએ વાક્ય તો સાંભળ્યું, પરંતુ પાછળ બેઠેલા બ્રહ્મસેતુ સ્વામીને જોઈને કહે : ‘આજે કેમ પાછળ છે ?’
	બ્રહ્મસેતુ સ્વામી કહે : ‘આજે એમને બોલવાનું હતું, એટલે એમને આગળ બેસાડ્યા.’
	‘બહુ સારું. આવો વિવેક રાખવો.’ સ્વામીશ્રીએ વિવેક શીખવ્યો.
                                     
                                
					 
                               
                           
                                
						 
									
 Vachanamrut Gems 
 
                                    
                                        
                                            
                                        
										
                                        
                                             
                                                Panchãlã-4:
                                             
                                            Why God Takes a Human Form
                                        
                                        
                                            
	"If God does not become like a human and instead behaves with complete divinity, then people would not be able to develop affection or feelings of affinity for Him. Why? Because a human develops affection and affinity for another human…"
	 
	[Panchãlã-4]