પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 3-4-2010, ગાંધીનગર
આજે સ્વામિનારાયણ અક્ષરધામમાં વિશ્વના અજોડ અને ભારતના સર્વપ્રથમ સત્-ચિત્-આનંદ વૉટર શૉનો આ ઉદ્ઘાટન સમારોહ માણવા માટે ગુજરાત અને ભારતના મહાનુભાવો નિમંત્રણને માન આપીને ઊમટ્યા હતા.
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ, પ્રમુખસ્વામી મહારાજનાં દિવ્ય વ્યક્તિત્વ અને કાર્યોને અદ્ભુત ભાવાંજલિ અર્પણ કરી. ઉપસ્થિત મહાનુભાવોને સંબોધતાં તેમણે કહ્યું : ‘આજે વિશ્વમાં, ગુજરાતમાં, ગાંધીનગરમાં અને અક્ષરધામમાં અધ્યાત્મ અને વિજ્ઞાનના સુભગ સમન્વય સાથે, અધ્યાત્મના રંગે રંગાયેલા પ્રથમ વૉટર-શૉનો પ્રારંભ થઈ રહ્યો છે. હું લગાતાર આ પ્રૅજેક્ટના સંપર્કમાં રહેતો હતો અને બધા સંત જે ઉત્સાહ અને ઉમંગથી તેના નિર્માણકાર્યમાં લાગેલા હતા, કલ્પનાને સાકાર કરવાનો જે આનંદ તેમની વાતોમાં છલકાતો હતો તે જોઈ મને લાગતું હતું કે, અહીં કોઈ એવું અદ્ભુત નિર્માણ થઈ રહ્યું છે જે અક્ષરધામમાં આવનારા લોકોને ભારતની હજારો વર્ષ પુરાણી સંસ્કૃતિ સાથે જોડવાની સમર્થતા ધરાવે છે.
મને ઘણી વખત થાય છે કે વિશ્વની જેટલી મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ છે તે તમામે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ દ્વારા થયેલાં કાર્યોનો કેસ-સ્ટડી (અભ્યાસ) કરવો જોઈએ. તેમને તેમાં સંચાલનના ઉચ્ચકોટિના સિદ્ધાંતો અને ભારતીયતાની ઝલક મળી આવશે. માણસના કૌશલ્યનો સારામાં સારો ઉપયોગ, સદુપયોગ કેવી રીતે થાય, સ્રોતોને વધારેમાં વધારે ત્વરાથી કેવી રીતે ગતિશીલ બનાવી શકાય અને સ્રોત તથા માનવ કૌશલ્યનું સંયોજન નિર્ધારિત સમય માળખામાં કેવી રીતે થઈ શકે તે શીખવું હોય તો પ્રમુખસ્વામી મહારાજના નેતૃત્વમાં પરિપૂર્ણ થયેલાં કાર્યોનો ગહન અભ્યાસ કરવો જોઈએ. તેમનાં કાર્યો આપણને ભારતીયજીવનના મેનેજમેન્ટના સિદ્ધાંતોને સમજવાનો મહાન અવસર પૂરો પાડે છે. એ વાતનો આનંદ છે કે હિંદુસ્તાનમાં સંતો આધુનિકતમ મેનેજમેન્ટ કૌશલ્યથી કાર્ય કરી રહ્યા છે અને તે વિશ્વનો ભારત પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલવાની ક્ષમતા રાખે છે.
ઇન્ફર્મેશન ટેક્નોલોજીએ ભારત તરફ અલગ નજરથી જોેવા વિશ્વને મજબૂર કર્યું છે. પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ દ્વારા જે કાર્યો ચાલી રહ્યાં છે અને જે સ્વરૂપમાં ચાલી રહ્યાં છે તે વિશ્વને આપણી મહાન પરંપરાને નવી રીતથી જોવા, વિચારવા અને તેનો સ્વીકાર કરવા મજબૂર કરશે, એવો વિશ્વાસ છે.
અનુભવે એ સિદ્ધ થયું છે કે આપણા ૠષિ-મુનિઓએ જે પરંપરાઓ સ્થાપીને વિકાસ કર્યો છે, જીવવા માટે પ્રેરણા આપી છે અને આચાર-વિચારનો ઉપદેશ આપ્યો છે તે વિજ્ઞાનની કસોટીમાં પાર ઊતર્યા છે. આપણા જીવનદર્શનની એવી કોઈ વસ્તુ નથી જે વિજ્ઞાનના ત્રાજવે તોળાઈ ન હોય.
અહીં પૂર્વ અને પશ્ચિમનું કેવું અદ્ભુત મિલન છે ! પશ્ચિમનો કલાકાર પૂર્વના વારસાને વિજ્ઞાન સાથે જોડીને, આપણી જ સામે પ્રસ્તુત કરે છે. અને આવું કામ પ્રમુખસ્વામી જ કરી શકે છે. શ્રીમાન્ ઇવ પીપા જ્યારે અહીં સર્વપ્રથમ પધાર્યા હશે ત્યારે નચિકેતા નામના ઉચ્ચારણમાં જ સમસ્યા શરૂ થઈ હશે. તેમ છતાં નચિકેતાના પાત્રને આત્મસાત્ કરવું અને પછી તેને સર્જનાત્મક સ્વરૂપ આપવું અને તેને ટેક્નોલોજી સાથે જોડવું, હું માનું છું કે આ બધું અદ્ભુત સાધનાનું પરિણામ છે. અને તેનો લાભ આપણી નવી પેઢીને મળશે. મનોરંજન અને વિજ્ઞાનના માધ્યમથી સહજતાથી હસતાં-રમતાં ઉપદેશનું અદ્ભુત કામ અહીંથી થવાનું છે. અક્ષરધામમાં આવીને વ્યક્તિની શ્રદ્ધા વધુ દૃઢ થશે. અક્ષરધામના પ્રદર્શનને જોઈને વ્યક્તિ જ્ઞાનના વિશાળ આકાશની અનુભૂતિ કરી શકશે.
જે વ્યક્તિ અહીં પધારશે તેને નવી રીતે જીવવાનું બળ મળશે, પ્રેરણા મળશે, અને નચિકેતાનું પાત્ર પસંદ કરવા માટે પ્રમુખસ્વામી મહારાજને હૃદયપૂર્વક પ્રણામ કરું છું.’
Vachanamrut Gems
Gadhadã II-16:
Means to Increase Faith in God
“… Similarly, if one realises the greatness of the discourses, devotional songs, etc., related to God, then one’s shraddhã in God and in those activities will naturally increase. Therefore, one should employ whichever method is necessary to understand the greatness of God. If one does employ such a method, then even if one has no shraddhã at all, still one will develop shraddhã; and if one has feeble shraddhã, it will become stronger."
[Gadhadã II-16]