પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 1-6-2010, લીંબડી
મોજીદડના બટુકસિંહ રાઠોડ નામના એક ગુણભાવી છે. લીંબડી મંદિરની પ્રતિષ્ઠાના સમાચાર સાંભળીને તેઓના મનમાં એમ થયા કરતું હતું કે ‘આવી રીતે વિધિ કરવાથી ઓછા કંઈ મૂર્તિમાં ભગવાન બેસી જાય છે ? આ બધા ધતિંગ છે.’ આવા નાસ્તિકભાવના વિચારો તેઓના મનમાં ઉદ્ભવતા હતા; પરંતુ કો’ક સાત્ત્વિક ક્ષણે તેઓને વિચાર આવ્યો કે ‘ભગવાન નથી જ - એવું કહેવા કરતાં કદાચ હોય તો પરીક્ષા કરીએ.’ એમ વિચારીને તેઓએ સંકલ્પ કર્યો કે ‘ધંધા માટેનું એક કામ પંદર વર્ષથી અટક્યું છે. જો ખરેખર મૂર્તિમાં ભગવાન બેસતા હોય તો મારું કામ સફળ થાય.’ તેઓએ પ્રતિષ્ઠાના દિવસે સવારે આ સંકલ્પ કર્યો અને ચમત્કાર થયો, સાંજે જ તેઓનું કામ પૂરું થઈ ગયું ! પંદર વર્ષથી જે કામ અટક્યું હતું તે કલાકોમાં પૂરું થઈ ગયું. તેઓ પોતે પણ માની શકતા ન હતા. તેઓના મનમાં આશ્ચર્ય હતું, પરંતુ એક વાત તેઓને પાકી થઈ ગઈ કે પ્રમુખસ્વામી જેવા મહાન સંત જ મૂર્તિમાં પ્રાણ પૂરી શકે ને ત્યારે જ મંદિરમાં પ્રભુ અવશ્ય વિરાજે છે. આજે તેઓ ખાસ સ્વામીશ્રીના આશીર્વાદ લેવા આવ્યા હતા.
Vachanamrut Gems
Gadhadã II-35:
The Undoubtable Truth
“… Because regardless of how much a person may have mastered samãdhi, or how thoughtful he may be, if he begins to stay in the close company of women, there is no way in which he could maintain his dharma. Similarly, regardless of how staunch a woman may be in observing dharma, if she stays in the close company of men, then she would also in no way be able to maintain her dharma. Thus, no one should believe that men and women can stay in each other’s company and still be able to maintain their dharma. This fact is true, and no one should doubt it.”
[Gadhadã II-35]