પ્રેરણા પરિમલ
કહત હૈ સંત સુજાણ... પ્રમુખસ્વામી મહારાજે સદ્ વાંચન પર વરસાવેલા અમૃતનું આચમન
(તા. ૨૫-૪-૯૪, કરજત)
'આપણે દુનિયાનાં પુસ્તકો વાંચવા નવરા થઈએ પણ આપણા 'વચનામૃત'નો નિયમ નહીં. પણ દરરોજનો નિયમ હોવો જોઈએ. 'વચનામૃત', 'સ્વામીની વાતો' એ આપણું જીવન છે. બીજાં પુસ્તકો તો ઠીક છે. નૉલેજ માટે વાંચીએ અને ન વાંચીએ તોય બહુ એની જરૂર નથી. આપણે બીજું બધું વાંચવા જઈએ છીએ પણ આપણને આપણાં પુસ્તકોમાં રસ નથી. આપણાં પુસ્તકોનો આપણને મહિમા નથી. 'શિક્ષાપત્રી'ની જેમ 'વચનામૃત' રોજ વાંચો. રિપિટ કરો. એમાંથી જ તમને બળ ને પુષ્ટિ મળવાનાં છે. પોતાના ઇષ્ટદેવનાં ચરિત્રનાં ગાનથી જ પુષ્ટિ મળશે. યોગીજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, ભગતજી મહારાજ, ગુણાતીતાનંદ સ્વામી, શ્રીજીમહારાજનાં કેવાં જીવનચરિત્રો છે! આપણી પાસે ઘણું વાંચવાનું છે. નવરા ક્યાં રહીએ તેમ છીએ !'
Vachanamrut Gems
Panchãlã-7:
A Person With Firm Upasana Would Definitely Attain Liberation
"… Moreover, if, by chance, a person possessing such firm upãsanã of the manifest form of God - never harbouring any doubts of mãyã being present in the form of God - were to behave unbecomingly due to the influence of bad company or due to the influence of his own prãrabdha karmas, even then he would attain liberation…"
[Panchãlã-7]